અનોખી ગઝલ
કેટકેટલા ભેદનો જાણે એક શીશ-મહેલ છે
ના પ્રાસ છે, ના ઉપમા,
ના રાગ છે , ના શબ્દો
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે
ઉંચા તો ક્યારેક નીચા, બદલાતા એના સૂર
શાયરીમાં કલા તો ક્યારેક સૌંદર્ય મશહુર
ભાવભર્યો સાગર ક્યારેક સ્વાર્થથી નિર્જલ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે
એક પંક્તિ વાંચતા જ્યાં મુખડુ મલકાઈ જાય
બીજી પર દ્રષ્ટિ પડતા નયન છલકાઈ જાય
શબ્દ-શબ્દ આ શાયરીનો ખૂબ જ ચંચળ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે
પ્રિયજનના સાથમાં સુખની માળા પરોવાય
તો ક્યારેક એકલતામાં દુખના વાદળ છવાય
શાયરી નથી આ એક સંસારરૂપી છળ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે
'અનંત' કહે જીવનની આ ગઝલ નથી સેહલી
ભેદ સઘળા તૂટે જો ઉકેલાઈ જાય આ પહેલી
એક અનોખી રચના જીવનરૂપી આ ગઝલ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે
- ચિરાગ (અનંત)
કેટકેટલા ભેદનો જાણે એક શીશ-મહેલ છે
ના પ્રાસ છે, ના ઉપમા,
ના રાગ છે , ના શબ્દો
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે
ઉંચા તો ક્યારેક નીચા, બદલાતા એના સૂર
શાયરીમાં કલા તો ક્યારેક સૌંદર્ય મશહુર
ભાવભર્યો સાગર ક્યારેક સ્વાર્થથી નિર્જલ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે
એક પંક્તિ વાંચતા જ્યાં મુખડુ મલકાઈ જાય
બીજી પર દ્રષ્ટિ પડતા નયન છલકાઈ જાય
શબ્દ-શબ્દ આ શાયરીનો ખૂબ જ ચંચળ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે
પ્રિયજનના સાથમાં સુખની માળા પરોવાય
તો ક્યારેક એકલતામાં દુખના વાદળ છવાય
શાયરી નથી આ એક સંસારરૂપી છળ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે
'અનંત' કહે જીવનની આ ગઝલ નથી સેહલી
ભેદ સઘળા તૂટે જો ઉકેલાઈ જાય આ પહેલી
એક અનોખી રચના જીવનરૂપી આ ગઝલ છે
શાયર તે રચેલી આ તે કેવી ગઝલ છે
- ચિરાગ (અનંત)
ગઝલ એ શબ્દ નથી...એ વેદના છે તો વળી ક્યાંક સંવેદના છે
જવાબ આપોકાઢી નાખો